કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો મામલો: સુપ્રીમ કોર્ટે ગૃહમંત્રીની વાત પર કહી ખાસ વાત, કહ્યું- અમને જે લાગ્યું તે પ્રમાણે અમે ચુકાદો આપ્યો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan16052024_080553_SC 123.webp)
- 16 May, 2024
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા વચગાળાના જામીન અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે અમે કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સંદર્ભમાં કોઈ જ અપવાદને ધ્યાને લીધો નથી. કોર્ટની જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાનકર દત્તાની ખંડપીઠે કહ્યું હતું કે અમે કોઈના પણ માટે કોઈ અપવાદને ધ્યાને લીધો જ નથી. અમને જે લાગ્યું તે પ્રમાણે અમે ચુકાદો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુંમાં સુપ્રીમ કોર્ટે આપના નેતા અરવિંદ કેજરીવાલને આપવામાં વચગાળા મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેજરીવાલને મળેલા વચગાળાના જામીન એ કાયમ અપાતા ચુકાદો જેવો ચુકાદો નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે ઘણા ભારતીયો માને છે કે આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સ્પેશિયલ ટ્રિટમેન્ટ અપાઈ હતી.
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા વચગાળાના જામીન અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે અમે કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સંદર્ભમાં કોઈ જ અપવાદને ધ્યાને લીધો નથી. કોર્ટની જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાનકર દત્તાની ખંડપીઠે કહ્યું હતું કે અમે કોઈના પણ માટે કોઈ અપવાદને ધ્યાને લીધો જ નથી. અમને જે લાગ્યું તે પ્રમાણે અમે ચુકાદો આપ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ